ગણેશ ચતુર્થીનો શુભ તહેવાર ભગવાન ગણેશના જન્મની ઉજવણી વિશે છે – સૌભાગ્ય, જ્ઞાન અને સમૃદ્ધિના દેવતા. આ તહેવાર ગણેશને નવી શરૂઆતના દેવ અને અવરોધો દૂર કરનાર તરીકે ઉજવવામાં આવે છે. દંતકથાઓ કહે છે કે દેવી પાર્વતીએ ચંદનના પેસ્ટથી એક બાળકની મૂર્તિ બનાવી હતી અને મૂર્તિમાં પોતાની દૈવી શક્તિઓ ફૂંકી હતી. જ્યારે તેણે એમને મા કહીને બોલાવ્યા, ત્યારે પાર્વતી અતિ પ્રસન્ન થઈ ગયા.
પ્રભુ ગણેશની ઘણી રસપ્રદ વાર્તાઓ છે અને દરેકમાં એક નૈતિકતા છે જેને આપણે વધુ પરિપૂર્ણ જીવન જીવવા માટે આત્મસાત કરી શકીએ છીએ. તેમાંથી અમુક નૈતિકતા વિશે, અહીં મારી એક કવિતા રજૂ કરું છું.
મૂલ્યવાન નૈતિકતા છુપાયેલી છે, શ્રી ગણેશની વાર્તાઓમાં,
ચાલો મૂળથી સમજીએ અને તહેવાર ઉજવીએ આનંદમાં.
એમના જન્મની વાર્તા ક્રોધનો પાઠ આપે છે,
ભેયભિત કરી, પ્રિયજનોને નુકસાન પહોંચાડે છે.
ભગવાન વિષ્ણુ અને તેમના શંખનું વર્ણન રસપ્રદ છે,
તે આપણને નમ્ર, આદર અને કાળજી રાખવાનું શીખવે છે.
શિવના નિષ્ફળ યુદ્ધની વાર્તા નિયમોને અનુસરવા વિશે હતી,
જીવનમાં પણ નિયમો રાખો, તે માત્ર શાળાઓ સુધી મર્યાદિત નથી.
બુદ્ધિનાથની શાણપણની કથા આપણા બ્રહ્માંડ વિશે છે,
માતાપિતાને પ્રેમ કરો; તેમના આશીર્વાદથી શાપ દૂર રહેશે.
જેવું પોતાની સાથે ઈચ્છો, અન્ય લોકો સાથે એવું જ વર્તન કરો,
ગણેશજીએ સમજાવ્યું, આ પાઠ છે અઘરો, આ પાઠ છે મોટો.
પ્રભુ આપણને શીખવે છે કે લોભ અને અભિમાન હાનિકારક હોઈ શકે,
કુબેરની જેમ તમારી ભૂલ સમજો, કર્તવ્યનિષ્ઠ બનવું સારું રહેશે.
ભગવાન વિનાયકની વાર્તાઓ અનંત અને તેમના પાઠ પણ ઘણા છે,
જો થોડા પણ આત્મસાત કરવામાં આવે, તો જીવન પ્રગતિ કરશે.
શમીમ મર્ચન્ટ, મુંબઈ.
___________________________________
Shades Of Simplicity
This is my page on Facebook. I request you to please share it with your friends and family. Thank you so much
https://www.facebook.com/Shades-of-Simplicity-104816031686438/
Follow me on instagram
https://instagram.com/shades_of_simplicity?igshid=YmMyMTA2M2Y=